Placeholder canvas

વાંકાનેર: કેરાળાના બોર્ડ પાસે નાલામાથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો…

વાંકાનેર શહેર નજીક આવેલ કેરાળા ગામના બોર્ડ પાસે નાલામા મૃતદેહ હોવાનું વાંકાનેર શહેર પોલીસને જાણવા મળતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી મૃતદેહને પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ

કેરાળના બોર્ડ પાસે હાઈવે નજીક નાલા પાસે એક એક્ટિવા મોટર સાઇકલ અકસ્માત ગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું જેના પરથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા મૃતદેહની ઓળખ કરવામાં આવિ હતી જે મરણ જનાર ઈરફાન યુનુશભાઈ હેરાંજા ઊં.વ. 40, રહે. ભોરણીયા શેરી વાંકાનેર વાળા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે

મળેલી માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક કેરાળા ગામના બોર્ડ પાસે આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં કેરાળાગામના બોર્ડ નજીક નાલા પાસે હાઈવે પર એક એક્ટિવા બાઈક નંબર GJ 03 EK 0074 છેલ્લા બે દિવસથી અકસ્માત ગ્રસ્ત હાલતમાં મળી આવેલ હોય જેમાં આજે સવારે નાલા નીચે પાણીમાં યુવાનનો મૃતદેહ તરતી હાલતમાં દેખાતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ અને નાલા નીચે પાણીમાંથી યુવાનનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ બહાર કાઢી લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ શરૂ કરી હતી. જેમાં હાલ પ્રથમ દૃષ્ટિએ અકસ્માત જેવું જણાઈ રહ્યું છે,પણ ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ સામે આવશે.

આ સમાચારને શેર કરો