વાંકાનેર: આગામી ૯મી ઓક્ટોમ્બરે મહારક્તદાન કેમ્પનું આયોજન…

વાંકાનેર: આગામી ૯મી ઓક્ટોમ્બરે કિશોરચંદ્ર અમૃતલાલ શાહની પુણ્યતિથિ નિમિતે તેમની સ્મૃતિમાં અમીત કિશોરચંદ્ર શાહ અને તેમના મિત્ર મંડળ અને ગૃપ દ્રારા મહારક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવનાર છે.

આ મહારક્તદાન કેમ્પમાં દરેક રક્તદાસ્તાઓનું હૃદયના ઉમળકાથી, કંકુ અને તીલક કરીને મીઠા મોઢા કરાવીને અનેરું સ્વાગત કરવામાં આવશે.

આ રક્તદાન કેમ્પ દરમિયાન રકતદાતાઓ હોલમાં લાઈવ મ્યુઝિક પ્રોગ્રામમાં સંગીતની મજા માણી શકશે.

આકર્ષક સેલ્ફી પોઇન્ટમાં સેલ્ફી પડાવીને હંમેશા માટેની યાદી સાથે લઈ જઈ શકશે.

સ્વાદિષ્ટ અલ્પાહાર સાથે ચા કોફી અને બિસ્કીટ તો ખરા જ…

આકર્ષક ભેટ સાથે અતિ ઉપયોગી એવા તુલસી અને બારમાસીના રોપા પણ આપવામાં આવશે.

રકતદાતાઓનો આભાર માનીને અભિનંદન કરવામાં આવશે.

તો જો… જો… આવવાનું ચુકતા નહિ.
રક્તદાન કરવાનું ભૂલતા નહિ.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GsBqX6cRF12KKTEXxUWMTQ

આ સમાચારને શેર કરો