વાંકાનેર આવતીકાલે સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ નું આયોજન

વાંકાનેર આવતીકાલ એટલે કે 17મી સપ્ટેમ્બરના રોજ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ભાજપ યુવા મોરચા દ્વારા એક મહારક્તદાન કેમ્પમાં આયોજન કરવામાં આવેલ છે.

આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, એ નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે, આ રક્તદાન કેમ્પ

માં રક્તદાતાઓને રક્તદાન કરવાની ભાજપ યુવા મોરચા દ્વારા અપીલ કરવામાં આવેલ છે. આપનું રકતદાન ત્રણ વ્યક્તિઓને જીવનદાન આપી શકે છે. તો બની રકતદાતા….બનો કોઇનાં જીવનદાતા…

આ રકતદાન કેમ્પમાં રક્ત એકત્રીકરણ કરીને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને જરૂર પડે ત્યારે તદ્દન ફ્રીમાં લોહી આપવામાં આવશે. જો કોઈ દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ હોય અને તેમને લોહીની જરૂર પડે તો તે માટે સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરનો સંપર્ક કરવાનો રહેશે.

મહા રકતદાન કેમ્પ
તારીખ : ૧૭-૯-૨૦રર, શનિવાર સમય : સવારે ૯-૦૦ થી બપોર ૨-૦૦
સ્થળ : સિવિલ હોસ્પીટલ,જડેશ્વર રોડ, વાંકાનેર.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GsBqX6cRF12KKTEXxUWMTQ

આ સમાચારને શેર કરો