આવતી કાલે વાંકાનેરમાં મહા રક્તદાન કેમ્પ: રક્તદાતાઓને રક્તદાન કરવા અપીલ…

વાંકાનેર: આવતી કાલે તા.9/10/2022 ને રવિવારે કિશોરચંદ્ર અમૃતલાલ શાહની પુણ્યતિથિ નિમિતે તેમની સ્મૃતિમાં અમીત કિશોરચંદ્ર શાહ અને તેમના મિત્ર મંડળ અને ગૃપ દ્રારા મહા રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવેલ છે. આ મહા રક્તદાનમાં વાંકાનેર શહેરને તાલુકાના દરેક દાતાઓને રકતદાન કરવા માટે અપીલ કરવામાં આવેલ છે.

આ મહારક્તદાન કેમ્પમાં દરેક રક્તદાસ્તાઓનું હૃદયના ઉમળકાથી, કંકુ અને તીલક કરીને મીઠા મોઢા કરાવીને અનેરું સ્વાગત કરવામાં આવશે.

આ રક્તદાન કેમ્પ દરમિયાન રકતદાતાઓ હોલમાં લાઈવ મ્યુઝિક પ્રોગ્રામમાં સંગીતની મજા માણી શકશે.

આકર્ષક સેલ્ફી પોઇન્ટમાં સેલ્ફી પડાવીને હંમેશા માટેની યાદી સાથે લઈ જઈ શકશે.

સ્વાદિષ્ટ અલ્પાહાર સાથે ચા કોફી અને બિસ્કીટ તો ખરા જ…

આકર્ષક ભેટ સાથે અતિ ઉપયોગી એવા તુલસી અને બારમાસીના રોપા પણ આપવામાં આવશે.

રકતદાતાઓનો આભાર માનીને અભિનંદન કરવામાં આવશે.

તો જો… જો… આવવાનું ચુકતા નહિ.
રક્તદાન કરવાનું ભૂલતા નહિ.

❤️ રક્તદાન કેમ્પનું સ્થળ અને સમય ❤️

સ્થળ:- દિગંમ્બર જૈનહોલ, દેનાબેંક પાસે, યુનિયન બેંક સામે,વાંકાનેર.
સમય:- તા.૦૯.૧૦.૨૦૨૨,રવિવાર, સમયઃ- સાંજે ૪થી ૮ કલાકે

રક્તદાન…મહાદાન

જે કોઇ રક્તદાન કરવા ઈચ્છતા હોય તેમણે નીચેના નંબર પર સંપર્ક કરવો.
અમિત શાહ : 87806 31635

આ સમાચારને શેર કરો