Placeholder canvas

મોરબી: દલવાડી સર્કલ નજીક રહેણાંક મકાનમાં બ્લાસ્ટ થતા પરિવારના ૩ સભ્યો દાઝીયા.

મોરબીના દલવાડી સર્કલ નજીક રહેણાંક મકાનમાં આજે કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો જે ઘટનામાં પરિવારના ત્રણ સભ્યો દાઝી જતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે

બનાવની મળતી માહિતી મુજબ દલવાડી સર્કલ પાસે આવેલ ઉમા રેસીડેન્સી ૨ ના એક રહેણાંક મકાનમાં બ્લાસ્ટની ઘટના બની હતી જે બ્લાસ્ટને પગલે ઘરમાં હાજર ક્રિષા કાનજી ગરચર (ઉ.વ.૦૩) કાનજીભાઈ મગનભાઈ ગરચર (ઉ.વ.૨૮) અને વૈશાલીબેન દેવાયતભાઈ ગરચર (ઉ.વ.૨૪) એમ ત્રણ વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જોકે બ્લાસ્ટ ક્યાં કારણોસર થયો તે હાલ સ્પષ્ટ થયું નથી બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ છે અને બનાવની વધુ તપાસ ચલાવી છે

આ સમાચારને શેર કરો