Placeholder canvas

આજે દિલ્હી અને વાંકાનેરના કેજરીવાલનો જન્મ દિવસ…

આજે દિલ્હી અને વાંકાનેરના કેજરીવાલનો જન્મ દિવસ છે…. મતલબ કે આમ આદમી પાર્ટી દિલ્હીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને આપ મોરબી જિલ્લા ઉપ પ્રમુખ તોફિક અમરેલીયાનો જન્મ દિવસ છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી ના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ નો આજે જન્મ દિવસ છે જ્યારે જોગાનું જોગ વાંકાનેરના કેજરીવાલ તરીકે ઓળખાતા અને 8 વર્ષથી સક્રિય રીતે આમ આદમી પાર્ટીમાં પાયાની કામગીરી કરતા તોફિક અમરેલીયાનો પણ આજે જન્મ દિવસ છે.

તોફિક અમરેલીયા એ મિકેલનીકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે અને વાંકાનેરમાં રાજકીય કારકિર્દીની શરૂઆત આમ આદમી પાર્ટીમાં કાર્યકરથી કારેલ. તોફિક અમરેલીયા વાંકાનેરમાં RTI ના માધ્યમ થી સ્તાપક્ષનો ભ્રષ્ટાચાર ખુલો પાડવામાં મહત્વની ભૂમિકા ભજવેલ છે. અને ખરા અર્થમાં RTI ના કાયદાનો ઉપયોગ પણ કરે છે. વાંકાનેર ની જનતા માટે તોફિક અમરેલીયા અડધી રાતે પણ હાજર હોય છે.

રાજકીય કારકિર્દીમાં પ્રજાના હિત માટે 8 દિવસ જેલ પણ ભોગવેલ છે અને સત્તાપક્ષની ગુલામી મંજુર ન કરવા ના કારણે એમને રાજકોટ ડેરી માંથી સસ્પેન્ડ પણ કરવામાં આવેલ.

આ દિલ્હી અને વાંકાનેરના બન્ને કેજરીવાલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો