Placeholder canvas

વાંકાનેર: બાઉન્ટ્રી નજીક બાઈક લોખંડની રેલીંગ સાથે અથડાતાં ચાલકનું મોત,બેને ઈજા

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રિજ પર બાઈક વળાંક લેતી વેળાએ લોખંડની રેલીંગ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક આધેડનું મોત થયું હતું, જ્યારે મહિલા સહીત બેને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે ખસેડાયા હતા.

રાજકોટના રૈયાધારના રહેવાસી ભરતભાઈ નાનજીભાઈ દેત્રોજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના માસીના દીકરા સુરેશભાઈ મગનભાઈ મકવાણા રહે. રાજકોટ ચુનારાવાડ વાળાનો ફોન આવ્યો હતો. જેમાં તેમણે વાત કરી હતી કે નીલમ રાજુભાઈનો માસીના દીકરા વિજયના ફોન પર ફોન આવેલો કે ભરતને કયો કે મને અહીંથી લઇ જાય. જેથી ફરિયાદી ભરતભાઈ દેત્રોજા અને સુરેશભાઈ બાઈક જીજે 03 એફએન 8521 લઈને ભલગામ જવા નીકળ્યા હતા.

નીલમને બેસાડી વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ પર પહોંચ્યા હતા. જ્યાં વળાંક પર પહોંચતા સુરેશભાઈએ વધારે ઝડપથી બાઈક ચલાવતાં વળાંક લઇ ના શકતાં બાઈક લોખંડ રેલીંગ સાથે અથડાયું હતું. જે અકસ્માતમાં ફરિયાદી ભરત અને નીલમને ઈજા પહોંચી હતી. તેમજ સુરેશભાઈ મકવાણાને ગંભીર ઈજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો