સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાં કોંગ્રેસમાં અને સુરતમાં ભાજપમાં મોટું ભંગાણ..!!
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં કોગ્રેસમાં ભંગાણ થયું છે. ૪ સુધરાઈ સભ્યો, ૨ તાલુકા પંચાયત સભ્યો, સરપંચો સહીત ૩૦૦ કોગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2021/01/IMG-20210114-WA0012-1024x1024.jpg)
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલો કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં કોગ્રેસમાં ભંગાણ થયું છે. ૪ સુધરાઈ સભ્યો, ૨ તાલુકા પંચાયત સભ્યો, સરપંચો સહીત ૩૦૦ કોગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
આઈ. કે. જાડેજા, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાની હાજરીમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા હતા. લોહાણા માહાજનની વાડીમાં સંમેલન યોજાયું હતું.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2021/01/IMG-20210111-WA0021_copy_619x360.jpg)
જ્યારે બીજી તરફ સુરત જિલ્લાના બારડોલીમાં કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.બારડોલીમાં ભાજપનો કેસરીયો ઉતારીને 25 વર્ષ જૂના 200 જેટલા કાર્યકરો-આગેવાનોએ કોંગ્રેસના પંજાનો હાથ ઝાલ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ ભાજપમાં ભંગાણ સર્જાયું છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)