Placeholder canvas

વાંકાનેર:ભલગામમા ખેતરમાં ઘુસેલી ગાયને બહાર કાઢતા વાડી માલીક પર હુમલો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ ગામે વાડીમાં ઘુસેલી ગાયોને હાંકી કાઢી ગાયના માલિકના ઘેર મૂકી આવનાર વાડી માલિક ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરી પથ્થરનો ઘા મારતા યુવાનને ઇજાઓ પહોંચી હતી.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભલગામમાં રહેતા ભુપતભાઇ કેશભાઈ ભાલિયાના ભાઈના ખેતરમાં આરોપી મોમૈયાભાઈ ધનાભાઈ સુસરાની ગાયો ઘુસી જતા ભુપતભાઇ આ ગાયોને ખેતર બહાર કાઢી આરોપીના ઘેર મૂકી આવ્યા હતા અને આરોપીને સમજાવ્યા હતા.

જયારે સાંજના ફરિયાદી પોતાના ઘેર રાત્રીના જમવા બેઠા હતા ત્યારે આરોપી વિહાભાઈ રૂખડભાઈ ભરવાડ, મોમૈયાભાઈ ભરવાડ અને ગોપાલ મોમૈયાભાઈ ભરવાડ ભૂપતભાઈના ઘેર ધસી આવ્યા હતા અને ઝઘડો કરી વિહા ભરવાડે પથ્થરનો છૂટો ઘા મારતા ભૂપતભાઈને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ભુપતભાઇની ફરિયાદને આધારે ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો