Placeholder canvas

ધ્રાંગધ્રામાં ભારતીય સંસ્કૃતિ જાળવવા માટે બળદગાડામાં યુવક જાન લઇ આવ્યો…

આધુનિક યુગમાં લોકો જુની પરંપરા,ભારતીય સંસ્કૃતિને વિસરતા જાય છે.લગ્ન પ્રસંગમાં મોંઘીદાટ ગાડીઓમાં જાન લઇને આવી રોફ જમાવવાનો પ્રયાસ કરતા હોય છે.ત્યારે ધ્રાંગધ્રાના મોરીની વાડી પાસે રહેતા મોરી પરીવારે એકદમ સાદાઇ પુર્વક બળદગાડું શણગારી વરરાજા હર્ષદની જાન ધ્રાંગધ્રા આર્યસમાજમાં બળદગાડામાં લાવ્યા હતા.શહેરમાંથી બળદગાડામાં જાન નીકળતા આકર્ષણનું કેન્દ્ર બની હતી.

વર્ષો બાદ વડીલોએ બળદગાડામાં જાન જતી જોતા ભારે આનંદ વ્યકત કર્યો હતો. આજના યુગમાં લોકો ભારતીય સંસ્કૃતિને વિસરતા જાય છે ત્યારે મારી પરીવારે આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે પહેલ કરી અન્ય લોકોને પણ ભારતીય સંસ્કૃતિ પરંપરાને જાળવી રાખવા માટે પ્રયાસ કરવા માટેનો સંદેશો પાઠવેલ હતો.

હર્ષદે બળદ ગાડામાં જાન લઇ જવાનો વિચાર કરી ત્રણ મહિના સુધી ગાડાની શોધ કરી અને જાનને ગાડામાં લઈ ગયા હતા અને લોકોએ પણ આપણી સંસ્કૃતિ જાળવી રાખે તેવી અપીલ કરવામાં આવી હતી ત્યારે ગાડામાં આવેલી જાન જોઈ અને ગામના લોકો પણ બે પલવાર જોવા આવવા લાગ્યા હતા અને ગાડામાં આવેલી જાન જોતા કુતૂહલ સર્જાયું હતું.

ગાડામાં જાણનો જુવો વિડીયો…
આ સમાચારને શેર કરો