Placeholder canvas

ચોટીલાની બાળકીનું મોત: મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં રેઢો મૂકી પિતા ફરાર

ચોટીલાના મફતીયા પરામાં રહેતી દિવ્યા વિપુલભાઈ વ્યાસ નામની ચાર વર્ષ માસુમ બાળકીને પોતાના ઘરે હતી, ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપાડતા તેણીને સૌ પ્રથમ ચોટીલાની હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લાવતી હતી ત્યારે અચાનક માલીયાસણ પાસે જ બેભાન થઈ ગઈ હતી. બાદમાં તેમને રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેણીને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. ત્યારબાદ બાળકીના મૃતદેહને રેઢો મુકી પિતા પલાયન થઈ ગયો હતો.

આ બનાવની જાણ થતા કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને બાળકીના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. દિવ્યા એક ભાઈ એક બહેનમાં મોટી હતી. અને તેમના પિતા મજૂરી કામ કરે છે.તેમના પિતા પર શંકા જતા હાલ પોલીસે તેની શોધખોળ આદરી છે.

આ સમાચારને શેર કરો