આયુષ્યમાન આરોગ્ય મંદિર સિંધાવદર ખાતે દિલ્હીથી આવેલી ટીમે આરોગ્યની તમામ સેવાઓનું મોનીટરીંગ અને ચેકીંગ કર્યું.
વાંકાનેર: આજે તા. 08/03/2024 ના રોજ વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંધાવદરના તાબા હેઠળના આયુષ્યમાન આરોગ્ય મંદિર સિંધાવદર (પેટા આરોગ્ય કેન્દ્ર) ખાતે નેશનલ લેવલથી આરોગ્યની તમામ સેવાઓનું મોનીટરીંગ અને ચેકીંગ માટે ( National Quality Assurance Standards) ટીમ આવી હતી તેમના દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં છેવાડા લોકો સુધી સરકારશ્રીના ધારા-ધોરણ મુજબ મળતી તમામ પ્રકારની આરોગ્યની સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમજ ટીમ દ્વારા સારા પ્રતિભાવો સાથે મોનીટરીંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું. અને જેનું સચોટ પરિણામ ટુંક સમયમાં આવશે. જેમાં સિંધાવદર ખાતે મળતી આરોગ્ય સેવાઓનું આંકલન થશે
જે માટે જિલ્લા QAMO શ્રી હાર્દિક રંગપરિયા અને તેમની મેન્ટરિંગ ટીમના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર સિંધાવદરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જુનેદ કડીવાર, મેલ હેલ્થ વર્કર સાજન વાઘેલા અને ફિમેલ હેલ્થ વર્કર મહેજબીન વડાવિયા દ્વારા આવેલ ટીમને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવેલ.



