Placeholder canvas

વાંકાનેર: પીર મશાયખ દવાખાનામાં નોકરી કરતા અયુબ કડીવારનું એકસીડન્ટમાં મૃત્યુ.

વાંકાનેર આજે સાંજના સાત વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ પૂર્વે આવતું વણખણી પાસે એક મોટરસાયકલ નું અકસ્માત થયું હતું જેમાં મોટરસાયકલ ચાલકનું મૃત્યુ થયું છે

મળેલી માહિતી મુજબ પીર મશાયખ દવાખાનામાં નોકરી કરતા પીપળીયા ગામના વતની અયુબભાઈ કડીવાર હોસ્પિટલથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમનું પીપળીયા રાજ ગામ પહેલા આવતી હણખણી પાસે પાસે અકસ્માત થયું હતું અને તેમને પ્રથમ પીર મશાયખ દવાખાનામાં લાવવામાં આવ્યા હતા બાદમાં તેમને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

વધુમાં મળેલી માહિતી મુજબ ઐયુબભાઈ કડીવારની આશરે 45 વર્ષની ઉંમર હતી, તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, આયુબભાઈનું અચાનક અકસ્માતમાં અવસાન થતાં તેમના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. તેમની દફનવિધિ આજે રાત્રે 12:00 વાગ્યે પીપળીયા રાજ ખાતે કરવામાં આવશે.

તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ સમાચારને શેર કરો