Placeholder canvas

વાંકાનેર: પીપળીયા-રાજના યુનુસ રાજાના પુત્ર મોહંમદસીરાજ પર હુમલો.

વાંકાનેરમાં બાપુના બાવલા પાસે હનુમાનજીના મંદિર પાસે ઉભેલા મોહમ્મદસીરાજના પિતા મર્હુમ યુનુસ રાજા સાથે પાંચ વર્ષ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખીને છ શખ્સો દ્વારા લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને મોહમ્મદસીરાજને માર માર્યો હતો. જેથી તેને સારવારમાં ખસેડાયો હતો.

આ બનાવની મળેલ વિગત મુજબ વાંકાનેર તાલુકાનાં પીપળીયારાજ ગામે રહેતા મોહમ્મદસીરાજ યુનુસભાઈ શેરસીયા જાતે મોમીન (ઉ.૩૦)એ મામદ હુશેનભાઈ લાખા, ઈસ્માઈલ અસ્લમ, આદીલ કરીમ લાખા, મુનાફખાન યુસુફખાન, ફીરદોશ મુનાફ જુણેજા અને એક અજાણ્યો શખ્સ રહે. બધા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે. તેને જણાવ્યા મુજબ તેના મર્હુમ પિતા યુનુસ રાજા સાથે પાંચેક વર્ષ પહેલા આરોપીઓને મારા-મારી થયેલ હતી જેનો રોષ રાખીને આરોપીઓએ ફરિયાદી યુવાન વાંકાનેરમાં બાપુના બાવલા પાસે હનુમાનજીના મંદિર પાસે હતો ત્યારે ત્યાં આવીને લાકડી દ્રારા ફરિયાદી યુવાનની સાથે ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી અને ઢીકાપાટુ તથા લાકડાના ધોકા વડે માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ તેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયોટિંગ સહિતની કલમ આઈ.પી.સી. કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

આ સમાચારને શેર કરો