વાંકાનેર: આગામી તારીખ 13/07/2025 ને રવિવારના રોજ વાંકાનેરમાં નેશનલ હાઇવે જકાતનાકા ચોકડી પાસે ‘આસાન હોસ્પિટલ’નુંઉદઘાટન કરવામાં આવશે. આસાન હોસ્પિટલનું ઉદ્ઘાટન અલ્હાજ પીર સૈયદ વિઝારતહુશેન બાવાસાહેબ કરશે, આ ઉદઘાટન સંભારંભમાં વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદજાવીદ પીરઝાદ અતિથિ વિશેષ તરીકે ખાસ હાજરી આપશે.
આસાન હોસ્પિટલમાં આઈ.સી.યુ.,વેન્ટિલેટર, ઈ.સી.જી.,લેબોરેટરી તેમજ સ્પેશ્યલ રૂમ અને જનરલ વોર્ડની સુવિધા મળશે. આ આસાન હોસ્પિટલના ઉદ્ઘાટન સમારંભમાં વાંકાનેર શહેર તેમજ તાલુકાના તમામ લોકોને પધારવા માટેનું જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.
🔴 આસાન હોસ્પિટલ 🔴 🔶 ઉદઘાટક:- અલ્હાજ પીર સૈયદ વિઝારતહુશેન બાવાસાહેબ 🔶 મુખ્ય મહેમાન:- શ્રી મહંમદજાવેદ પીરઝાદા સાહેબ (પૂર્વધારાસભ્ય-વાંકાનેર)
🔶 ઉદઘાટન સમારંભ :- તારીખ : ૧૩-૦૭-૨૦૨૫, રવિવાર સમય : સવારે ૧૦:૦૦ કલાક થી આપના આગમન સુધી