Placeholder canvas

વાંકાનેર: લીંબાળામાં ૭૫ જેટલા લોકોને આશ્રય સ્થળ પર સુરક્ષિત રીતે ખસેડાયા…

વાવાઝોડાની તૈયારીના ભાગરુપે પ્રા.આ.કે.કોઠી તમામ સ્ટાફ સજ્જ.

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના પ્રા.આ.કે. કોઠી ના ગામ લિબાંળાધાર,ગારીયા તથા ખામાંળા આસપાસના ગામના જુપડપટ્ટી અને વાડી વિસ્તારના કાચા મકાનવાળા લોકો કે જેમને વાવાઝોડા દરમીયાન તકલીફ સર્જાય સકે છે.તેવા ૭૫ જેટલા લોકોને લીબાંળાના આશ્રય સ્થળ પર સુરક્ષિત રીતે ખસેડવામા આવ્યા છે.

કોઠી પી.એચ.સી.ના મેડીકલ ઓફિસર ડો.શાહિસ્તા કડીવાર તથા પી.એચ.સી.સ્ટાફ દ્વારા તમામ લોકોનુ મેડીકલ તપાસ કરવામા આવ્યુ છે તેમજ લોકોને વાવાઝોડા દરમિયાન શુ કરવુ જોઇએ શુ ના કરવુ જોઇએ એ બાબતની સમજણ આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો