ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિની ગુજરાતના તમામ મુસલમાનોને અપીલ


અમે પહેલગામ, કાશ્મીરમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. તમામ મુસલમાનોને અપીલ છે કે ૨૫ એપ્રિલ ૨૦૨૫, જુમ્માની નમાઝના સમયે પોતાના સીધા હાથ પર કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ નોંધાવે.

કુર્આનનું ફરમાન છે: જેણે કોઈ એક ઇન્સાનનું કતલ કર્યું, તેણે જાણે કે આખી ઇન્સાનિયતનું કતલ કર્યું; અને જેણે એક ઇન્સાનનો જીવ બચાવ્યો, તેણે જાણે કે આખી ઇન્સાનિયતનો જીવ બચાવ્યો. -વાસિફ હુસૈન (કો-કન્વીનર, ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ)
