કાલથી રાજકોટ અને વાંકાનેર સહિત સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં દિવાળી વેકેશન…
આજથી આવકો બંધ કરી દેવાઈ: લાભપાંચમથી થશે મુહર્તના સોદા, મોરબી માર્કેટિંગ યાર્ડ માં રજા પડી ગઈ છે…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
રાજકોટ,વાંકાનેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં આવતીકાલ તા.13થી 18 નવેમ્બર સુધી દિવાળીના તહેવારોની રજા જાહેર કરવામાં આવી છે જેના અનુસંધાને આજથી આવકો બંધ કરી દેવાઈ છે. જોકે મોરબીનું માર્કેટિંગ યાર્ડ તો આજથી જ બંધ થઈ ગયું છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/11/upvan-novelty-997x1024.jpg)
હવે તા.19ને ગુવારે લાભપાંચમથી મુહર્તના સોદા થશે. વિશેષમાં માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ અનાજ વિભાગમાં તા.13થી 18 અને રાજકોટમાં શાકભાજી વિભાગમાં તા.15થી 18 સુધી રજા રહેશે. સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડોમાં કાલથી દિવાળીનું મિનિ વેકેશન શરૂ થઈ જશે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/11/IMG-20201110-WA0004-1024x1024.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)