Placeholder canvas

ગુરુપુર્ણિમાના દિવસે રાણેકપરના શિક્ષકની અનોખી દક્ષિણા બાળકો પાસે જંકફુડ ન આરોગવાના શપથ રૂપે લીધી

શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ પલતે હૈ. આ પંક્તિને ચરિતાર્થ કરતા મોરબીના વાંકાનેર તાલુકાના રાણેકપર ગામમાં શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવતે કરી છે. નરેન્દ્રભાઈ કુબાવત છેલ્લા બે વર્ષથી રાણેકપર માં બદલી કરાવીને આવ્યા છે. અહીં આવ્યા બાદ તેણે જોયું કે આ સ્કૂલમાં ભણતા બાળકો રિસેસના સમયમાં જંકફૂડ આરોગે છે. ફ્રાઈમ્સ ખાય છે, પડીકાઓ ખાય છે. જેનાથી તેને ખૂબ નુકસાન થાય છે. આ બાળકોને પોતાના બાળકો સમજી મોટાભાઈ સમાન એક સરસ વાત સમજાવી અને આ ફ્રાઈમ્સ અને પડીકાઓને બંધ કરવાની નેમ લીધી. શરૂઆતમાં બાળકો આ વાતને માનતા ન હતા. માટે પડીકા પર ₹5 નો દંડ વસૂલવામાં આવ્યો જેમાંથી જે કાંઈ રકમ મળે તે સ્કૂલમાં બાળકો પાછળ જ સ્ટેશનરી રૂપે વાપરવામાં આવે છે.

જ્યારે ગુરુપુર્ણિમાના દિવસે રાણેકપરના આ શિક્ષકે અનોખી દક્ષિણા બાળકો પાસે જંકફુડ ના આરોગવા શપથ લેવાડીને લીધી હતી.

આ સમાચારને શેર કરો