Placeholder canvas

રણજી ટ્રોફી માટેની સૌરાષ્ટ્રની ટીમની જાહેરાત: ચેતેશ્વર પુજારા રમશે: જયદેવ કપ્તાન

દેશના અલગ-અલગ સ્ટેડિયમ ઉપર ગુરુવારથી શરૂ થઈ રહેલી રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. પસંદ કરાયેલી ટીમમાં ચેતેશ્વર પુજારાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ટીમની કપ્તાની ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને સોંપવામાં આવી છે.

ટીમના લીગ રાઉન્ડના તમામ મુકાબલા અમદાવાદમાં રમાશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની પસંદગી સમિતિએ 21 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે જેમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું શ્રેષ્ઠ કોમ્બિનેશન કરવામાં આવ્યું છે. ટીમમાં ઉનડકટ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પુજારા, જેક્શન, કમલેશ મકવાણા સહિતના અનુભવી ખેલાડીઓ છે તો ચેતન સાકરિયા, હાર્દિક દેસાઈ, વિશ્વરાજસિંહ જાડેજા, અર્પિત વસાવડા સહિતના યુવા ખેલાડીઓ પણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2020-21ની સીઝનમાં સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બની હતી. આ મુકાબલો રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ઉપર રમાયો હતો. ટીમ સૌરાષ્ટ્ર આ વર્ષની ટૂર્નામેન્ટમાં મુંબઈ, ઓરિસ્સા અને ગોવાની ટીમ સામે રમશે તો રાજકોટમાં ગુજરાત, મધ્યપ્રદેશ, કેરળ અને મેઘાલયની ટીમો વચ્ચે મેચ રમાશે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/La4en7grq3dF22mVuLveiN

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો