અંજારના યુવાને વાંકાનેર નજીક વખ ધોળ્યું
વાંકાનેર : વાંકાનેર નજીક અંજારના યુવાને કોઈ કારણોસર વખ ઘોળી લેતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર અંજાર-કચ્છ રહેતા સુરસીંગભાઇ ભીમાભાઇ મોરી (ઉ.વ. ૪૮) એ તા. ૨૫/૦૨/૨૦૨૧ ના રોજ કોઈ કારણોસર વાંકાનેર તાલુકાના ઢુવા ગામે વરમોરા સીરામીક સામે હાઇવે રોડ ઉપર ઝેરી દવા પી જતા ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી પોલીસે જાણ કરતા વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)