મોરબી: મયુર પુલ ઉપરથી અજાણ્યા પુરુષે છલાંગ લગાવી મોત વહાલું કર્યુ.
મોરબીના મયુર પુલ ઉપરથી કોઈ અજાણ્યા પુરુષે મોતની છલાંગ લગાવી મોત વહાલું કરી લીધો હોવાનોબનાવ સામે આવ્યો છે તો ધટનાની જાણ થતા મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ દોડી જઈને વાલી વારસની શોધખોળ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના મયુર પુલ પરથી અજાણ્યા પુરુષે અગમ્ય કારણોસર મચ્છુ નદીમાં મોતની છલાંગ લગાવતા નીચે પટકાતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના વાલી, વર્ષ પરિવારજનોની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે તો ક્યા કારણોસર મોતની છલાંગ લગાવી મોતને મીઠું કર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે