Placeholder canvas

અંબાલાલ પટેલની એકસાથે બે-બે આગાહી : ગુજરાતના વાતાવરણમાં પલટો અને વાવાઝોડું આવશે.

હવામાન વિભાગની આગાહી છે કે, વરસાદની કોઈ શક્યતા નથી, અંબાલાલ પટેલ કહે છે 14થી 20 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠું પડશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. જો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલ પટેલના મતે અરબ સાગરમાં વાવાઝોડું ઉદભવશે. આમ તો આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ જશે. પરંતુ 14થી 20 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠું પડશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, 12 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પણ પડશે. હવામાન વિભાગની આગાહી છે કે, વરસાદની કોઈ શક્યતા નથી અને રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 3થી 4 દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્યાર બાદ 2થી 3 ડિગ્રી તાપમાન ઉંચું આવશે.

આ સમાચારને શેર કરો