skip to content

વાંકાનેર: અમરસર ફાટક શનિ‌ અને રવિવારે રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે…

વાંકાનેર : રાજકોટ રોડ પર આવેલ અમરસર ફાટક રેલ્વે વિભાગ દ્વારા રિપેરિંગ અને મેઇન્ટેનન્સ માટે આગામી શનિ અને રવિવારે રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી આ સમય દરમ્યાન અહીંથી વાહન વ્યવહાર બંધ રહેવાનો હોય, જેની તમામ લાગતા વળગતાઓએ નોંધ લેવાનું જણાવ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર-અમરસર વચ્ચે કિમી 707/0-1 પર લેવલ ક્રોસિંગ નં. 97 (અમરસર ફાટક) પર લેવલ ક્રોસિંગનું ઓવર હૉલિંગ અને ટેમ્પિંગની જાળવણીની કામગીરી રેલ્વે વિભાગ દ્વારા હાથ ધરવાની હોય, જેથી આગામી શનિવાર તથા રવિવાર રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફાટક બંધ રહેશે, જેથી અહીંથી પસાર થતાં તમામ વાહનચાલકોએ આ બાબતની નોંધ લેવી…

આ સમાચારને શેર કરો