Placeholder canvas

મોરબી–વાંકાનેર હાઇવે પર ટ્રેકટર ચાલકની બેદરકારીથી અમરસરના બાઈક ચાલકનું મૃત્યુ

મોરબી–વાંકાનેર હાઇવે ઉપર પુરપાટ વેગે જતા ટ્રેકટર ચાલકે અચાનક સાઈડ આપ્યા વગર લેન બદલી નાંખતા પાછળ આવી રહેલા બાઈક ચાલકનું ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાતા મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર અમરસર ખાતે રહેતા પરવેઝભાઈ અનવરહુસેન નાનાણીએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગઈકાલે બપોરના સમયે તેમનો ભાઈ ઇરફાનભાઈ બાઈક લઈને આવતો હતો ત્યારે વાંકાનેર હાઇવે ઉપર એક્સેલ સીરામીક નજીક આગળ જઈ રહેલા આઇસર કંપનીના ટ્રેકટર ચાલકે સાઈડ આપ્યા વગર અચાનક લેન બદલતા ઇરફાનભાઈ ટ્રેક્ટરની ટ્રોલી પાછળ અથડાતા ગંભીર ઇજાઓ પહોંચવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે પરવેઝભાઈની ફરિયાદને આધારે અકસ્માત સર્જી રોડ ઉપર ટ્રેકટર રેઢું મૂકી નાસી જનાર ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો