Placeholder canvas

અમદાવાદ: નારણપુરાની મોદી આઈ કેરમાં હોસ્પિટલમાં લાગેલી આગમાં બેના મોત.

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જય મંગલ BRTS બસ સ્ટેન્ડ પાસે આવેલા મોદી આઈ કેરની હોસ્પમાં આગ લાગી છે. ઘટનાને પગલે બે એમ્બ્યુલન્સ, ચારથી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. હોસ્પિટલમાં બેના મોત થયા છે.

મોદી આઈ કેર હોસ્પિટલમાં લાગેલી આગમાં ગૂંગળામણના કારણે હોસ્પિટલમાં દેખરેખ રાખનારા પતિ-પત્નીના મોત થયા છે. મૂળ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધરીયાવાદ ગામના રહેવાસી નરેશભાઈ પારઘી ( ઉ.વ 25) અને તેમના પત્ની હર્ષાબેન પારઘી (ઉ.વ.24)નું ગૂંગળામણથી મોત થયું છે.

આ સમાચારને શેર કરો