Placeholder canvas

9 માસની પુત્રીની હત્યા કર્યા બાદ માતાએ પણ ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ.

સુરેન્દ્રનગર જિલ્લાના થાન ના નવાગામ વિસ્તારમાં ખુદ માતા જ પુત્રીની હત્યારી બની છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના થાનના નવાગામે આ બનાવ સામે આવ્યો છે માતાએ પોતાની માત્ર 9 મહિનાની પુત્રીને ગળેફાંસો દઇ અને મોતને ઘાટ ઉતાર્યાની એક ચકચારી ઘટના સામે આવી છે.

આ મામલાની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે લગ્નજીવન બાદ અલગ રહેવા અને ઘરકંકાસથી દૂર રહેવા અને કેટલાક સમયથી પતિ-પત્ની સાસુ-સસરા સાથે ઝઘડો ચાલતા હતા અને પતિથી અલગ ન થતાં સૌપ્રથમ માતાએ પોતાની નવ મહિનાની પુત્રીને પોતાના ઘરમાં જ સુતરની દોરી સાથે લટકાવી અને મોતને ઘાટ ઉતારી છે ત્યાર બાદ માતાને આ મામલો લાગી આવતા માતાએ પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે.

ભાવુબેન રાજેશભાઇ વિઠ્ઠલભાઇ ડાભી જાતે.ત.કોળી રહે.નવાગામ બંધપરા વિસ્તાર તા.થાનગઢ જી. સુરેન્દ્રનગરવાળા પોતાના સાસુ સસરા પતિ તથા દિકરી નિહારીકા ઉ.વ.9 માસ સાથે સંયુક્ત પરીવારમાં રહેતા હોય અને તેવો તેમના સાસુ સસરા તથા ભાઇઓથી અલગ રહેવા માંગતા હોય અને તેમના પતિ સૌથી નાના દિકરા હોય જેથી તેઓને અવાર નવાર સમજાવવા છતા માનતા ન હોય અને અલગ રહેવાની જીદ કરતા હોય જેથી આરોપી ભાવુબેનને લાગી આવતા પહેલા તેમના પતિ દુધ ભરવા માટે ગયેલ હોય ત્યારે આરોપી પત્નિ ભાવુબેનનાઓ તેમની દિકરી નિહારિકાબેન ઉં.વ.09 માસવાળીને ગળે દોરી બાંધી લટકાવી ગળોફાંસો આપી મોત નિપજાવેલ હોય અને પોતે પણ દોરીથી એ જ રૂમમાં પોતાની જાતેથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી મોતને વ્હાલું કરી લીધું હતુ.

આ સમાચારને શેર કરો