વાંકાનેર

વાંકાનેર: એડવોકેટ ફારૂક ખોરજીયાને ભારત સરકાર દ્વારા નોટરીની માન્યતા આપી.

વાંકાનેરના મિલનસાર સ્વભાવ ધરાવતા એડવોકેટ ફારૂક ખોરજીયાને ભારત સરકાર દ્વારા નોટરીનું સર્ટીફીકેટ આપવામાં આવેલ છે, તેઓ હવે વકીલાતની સાથોસાથ નોટરીનું પણ કામ કરશે.
વાંકાનેર ખાતે વર્ષ ૨૦૧૦ થી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ અને વાંકાનેર, મોરબી અને રાજકોટની કોર્ટમાં ફોજદારી અને દીવાની કેસો તથા સેશન્સ કોર્ટ ક્ષેત્રે સક્રિય વકીલાત કરતા વાંકાનેરના સામાજીક તથા ધાર્મિક ક્ષેત્રે સેવાઓ આપતા અને તેઓ પોતાના મિલનસાર સ્વભાવ ના કારણે તેમના વકીલાતના ક્ષેત્રે અને સામાજીક તથા ધાર્મિક ક્ષેત્રે ખુબ જ સારા સબંધો અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા એડવોકેટ ફારૂક એસ. ખોરજીયાને ભારત સરકાર દ્વારા નોટરીનું સર્ટીફીકેટ આપવામાં આવતા તેમના મોબાઈલ નંબર ૯૭૨૩૭૩૫૫૩૧ પર તેમના પરિવારજનો, સગા સબંધીઓ, સ્નેહીજનો અને વકીલ મિત્રો દ્વારા શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
કપ્તાન ગ્રુપ તરફથી એડવોકેટ ફારૂક ખોરજીયાને અભિનંદન સાથે શુભેચ્છાઓ….

ફારૂક ખોરાજીયા
(એડવોકેટ એન્ડ નોટરી)
એસટી બસ સ્ટેશન સામે, સ્તુતિ આંખની હોસ્પિટલ સામે, ઓફીસ નં K-204 વાંકાનેર.
સંપર્ક:- ૯૭૨૩૭૩૫૫૩૧

આ સમાચારને શેર કરો