વાંકાનેર: ગુજરાત મની લેન્ડ એકટ ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો…

વાંકાનેર: ગુજરાત મની લેન્ડ એકટ કલમ ૩૩-૩૪ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૪, ૫૦૬(૨), તથા ૧૧૪ મુજબના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે. આ કેસની હકીક્ત એવી છે કે વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ખાતે રહેતા ફરીયાદીએ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં એવી કરીવાદ આપેલ કે ફરીયાદીએ આ કામના આરોપીઓ પાસેથી હાથ ઉછીના પૈસા પોતાની ખેતીની જમીનમાં વાડ કરવા તથા ફેન્સીંગ કામ કરવા આરોપીઓ પાસેથી હાય ઉછીની રકમ લીધેલ હોય જે મુદ્દલ રકમ કરતા વધારે ૨કમ વ્યાજથી ચુકવી દીધેલ હોવા છતાં ફરીયાદી પાસેથી આ કામના આરોપીઓએ અવાર-નવાર ઉઘરાણી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે તેવુ પોલીસે ચાર્જસીટ કરેલ.
આ કામના ફરીયાદી જે પરાસરા ઉસ્માનગની અબુજી, રહે. વીડી ભોજપરા વાળાએ આ કામના આરોપીઓ (૧) રાધવસીભાઈ કરમસીભાઈ બાંભવા, રહે. સિંધાવદર.(ર) બાબુભા બાલુભા ચુડાસમા, રહે.રાજકોટ. (3) મુકેશભાઈ જીલુભાઈ ભાંભવા, રહે. રાજકોટ (4) ચનાભાઈ ઉકાભાઈ રાતડીયા, રહે. રાજકોટ, (5) ધનાભાઈ લખમણભાઈ બાંભવા, રહે. રાજકોટ વાળા ઓનો કેસ વાંકાનેરના મહે. જયુ. મેજી. ફસ્ટ કલાસ સાહેબની કોર્ટમાં જજ એસ. કે. પટેલ સાહેબની કોર્ટેમાં આ કેસ ચાલી જતાં ધારદાર દલીલો થતાં આરોપીઓ તરફે પુરતો પુરાવો ન મળતા ફોજદારી કાર્યવાહી સંહીતા – ૧૯૭૩ ની કલમ –૨૪૮(૧) અન્વયે ભારતીય દંડ સંહીતાની કલમ- ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત મની લેન્ડ એકટ કલમ ૩૩,૩૪ મુજબના ગુનાઓમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમા આરોપીઓ તરફે એડવોકેટ અંજનાબેન એમ. રાઠોડ રોકાયા હતાં
