વાંકાનેર: ગઈકાલે જકાતનાકા પાસે થયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત…
વાંકાનેર : ગઈ કાલે જકાતનાકા નજીક ટ્રકે બાઇકને ઠોકર મારી દેતાં આણંદપર ગામના બે મિત્રોને ઇજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં જ્યાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.
ગઈ કાલના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મકતાનપર રહેતા અને ખેત મજૂરી કરતો વિક્રમભાઇ સવજીભાઇ રાણેવાડીયા, ઉ.30 નામનો યુવાન ગત સાંજે બાઇકમાં તેમના મિત્ર સુરેશભાઇ કરમશીભાઇ કેરવાડીયાને બેસાડી વાંકાનેર ખાતર લેવા ગયો હતો. બાદમાં પરત ઘરે જતી વખતે રસ્તામાં જકાતનાકા સર્કલ પાસે ટ્રકે બાઇકને ઉલાળતાં બંને ફંગોળાઇ જતાં ઇજાઓ પહોંચતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.જ્યાં વિક્રમભાઇનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે.