Placeholder canvas

દસાડા: શંખેશ્વર જતા યાત્રિકોને નડ્યો અકસ્માત: એકનું મોત, છ ને ઇજા…

દસાડા: અઠ્ઠમ તપની આરાધના કરવા જતા યાત્રિકોને દસાડા પાસે ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક યાત્રિકનું કરુણ મોત નીપજ્યું હતું . જ્યારે છ વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે વિરમગામ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જૈનોના પવિત્ર તીર્થધામ શંખેશ્વર ખાતે શનિવારથી અઠ્ઠમ તપની આરાધનાનો પ્રારંભ થાય છે તે નિમિત્તે મુંબઈના આરાધકો ટ્રેન મારફત વિરમગામ રેલવે સ્ટેશન ખાતે આવ્યા હતા. અને રેલ્વે સ્ટેશનેથી ઇકો ગાડી ભાડે કરી શંખેશ્વર તરફ જઈ રહ્યા હતા. ત્યારે વહેલી સવારે દસાડા નજીક ટ્રેલર અને ઈકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો ગાડી પલટી ખાઈ ગઈ હતી અને રોડથી નીચે ઉતરી ગઈ હતી. જેમાં મુંબઈના રાજનભાઈ સોનગરાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય છ વ્યક્તિઓ ઇજાગ્રસ્તોને ઇમરજન્સી સેવા 108 મારફત વિરમગામ શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો