Placeholder canvas

વાંકાનેર: ચંદ્રપુર પાસે નેશનલ હાઇવે પર થારે હડફેટ લેતા મહિલાનું મોત…

વાંકાનેર 27 નેશનલ હાઇવે પર ચંદ્રપુર પાસે હાઇવે ક્રોસ કરી રહેલા મહિલાને થારે ઉડાડતા તેઓને ગંભીરેજા પહોંચી હતી તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું છે.

મળેલી માહિતી મુજબ આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ 27 નેશનલ હાઇવે પર ચંદ્રપુર પાસે એકટીવામાં જઈ રહેલ મહિલા હસીનબેન ઇસ્માઇલભાઇ શેરસીયા (ઉ.વ. 52, રહે. સિંધાવદર) નામની મહિલાને ત્યાંથી પસાર થતી મહિન્દ્રા થાર કાર નં. GJ 36 AJ 909 હડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા થઇ હટી, જેથી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે પીર મશાયખ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ સમાચારને શેર કરો