Placeholder canvas

વડોદરા: કન્ટેનરે કાબૂ ગુમાવતા છકડાને અડફેટે લીધો, 10 લોકોના મોત.

વડોદરાઃ દરજીપુરા એરફોર્સ પાસે અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત હજુ અતિ ગંભીર છે.  ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. દરજીપૂરા એરફોર્સની દિવાલમાં ટ્રેલર ઘૂસી ગયું હતું. ફાયર બ્રિગેડે કામગીરી હાથ ધરી છે. 

સુરતથી અમદાવાદ તરફ જતી કન્ટેનરે ફોર્ડ ફિગો ગાડીને ટક્કર મારી રોંગ સાઈડ કન્ટેનર ઘૂસતા સામેથી આવતી રીક્ષાને ટક્કર મારી એરફોર્સની દીવાલ તોડી અંદર ઘુસ્યું હતું. તમામ ઘાયલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વડોદરાના દરજીપુરા એરફોર્સ પાસે છકડા અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે. ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા. કન્ટેનર ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રોંગ સાઈડ ઉપર ઘસી જતા સામેથી આવી રહેલા છકડાને અડફેટમાં લીધો હતો અને કન્ટેનર એરપોર્ટની દિવાલમાં ઘૂસી ગયું હતું. 

આ સમાચારને શેર કરો