Placeholder canvas

માળિયા: હરિપર પાસે બસ અને છોટાહાથી વચ્ચે અકસ્માતમાં 2ના મોત, 8ને ઇજા

મોરબી : માળિયાના હરિપર ગામ પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક છોટાહાથી અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બે મહિલાના મોત થયા છે.જ્યારે 8 લોકોને ઇજાઓ પહોંચી છે.

મળેલ માહિતી મુજબ જેતપુરના પીઠડીયાનો પરિવાર છોટાહાથીમાં કચ્છના કબરાઉ જતો હતો. ત્યારે માળિયાના હરિપર ગામ પાસે સૂરજબારી રોડ ઉપર આજે સવારે 6 કલાકે રોંગ સાઈડમાં જતા છોટાહાથીની લકઝરી બસ સાથે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં છોટાહાથીમાં સવાર 2 લોકોના મોત થયા છે. જેમાં ચંદાબેન વિપુલભાઈ ઉ.વ.30 અને શારદાબેન છગનભાઇ ગોંડલીયા ઉ.વ.70 બન્ને રહે. પીઠડીયા તા.જેતપુરવાળાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અકસ્માતમાં છોટાહાથીમાં જઈ રહેલા પ્રકાશભાઈ ઉ.વ.48, જેવીલ વિપુલભાઈ, ધીરુભાઈ ગોંડલીયા ઉ.વ.50, માહિબેન વિપુલભાઈ ઉ.વ.6, મઝરીબેન ચેતનભાઈ ગોંડલીયા ઉ.વ.9, દીપકભાઈ ઉ.વ.41, વિપુલભાઈ ગોંડલીયા ઉ.વ.36 અને નાથીબેન દેવરાજભાઈ પોકીયા ઉ.વ.70ને ઇજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો