Placeholder canvas

વાંકાનેર: હસનપર ગામેથી સગીરનું અપહરણ

મોરબી જીલ્લાના વાંકાનેરના સીટી વિસ્તારમાં આવેલ હસનપર વિસ્તારમાંથી સગીરાના અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેરના મોરબી રોડ બાજુ આવેલ હસનપર ગામે રહેતા પરિવારની ૧૭ વર્ષીય સગીર વયની દિકરીને લગ્નની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદે લલચાવી ફેાસલાવીને યાકુબ ઉર્ફે શકરેા મહેબુબ બેલીમ રહે. હસનપર તા.વાકાનેર જી.મોરબી વાળો અપહરણ કરી ગયો હોય ભોગ બનનાર સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા હાલ વાંકાનેર સીટી પીઆઈ એચ.એન.રાઠોડે અપહરણકર્તા અને ભેાગ બનનારની શેાધખેાળ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો