Placeholder canvas

વાંકાનેરમાં ઇસુદાન ગઢવીની હાજરીમાં ‘આપ’ની પરિવર્તન યાત્રા શહેરના મુખ્ય માર્ગમાં ફરી

વાંકાનેર: આજે વાંકાનેરમાં આમ આદમી પાર્ટી ગુજરાતના નેતા ઇસુદાન ગઢવી અને સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલની હાજરીમાં પરિવર્તન યાત્રા સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈને સ્ટેચ્યુ માર્કેટ ચોક પ્રતાપ રોડ, ગ્રીનચોક થઇને નેશનલ હાઈવે જકાતનાકાએ પહોંચી હતી

આજે સવારે 11:30 કલાકે વાંકાનેરના સ્વામિનારાયણ મંદિર થી આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા શરૂ થઇ હતી, આ પરિવર્તન યાત્રામાં વાંકાનેર શહેર અને તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરો વાહનોમાં આમ આદમી પાર્ટી નો ઝંડો લગાવીને આવ્યા હતા, વાંકાનેર શહેર માં યાત્રા ફરી હતી.

આ પરિવર્તન યાત્રા બાદ આજે સાંજના સમયે તાલુકાના ત્રણ ગામમાં સભાનું પણ આયોજન કરેલ છે જેમાં સૌપ્રથમ સાંજના છ વાગ્યે તાલુકાના દલડી ગામેં અને ત્યારબાદ સાત વાગ્યે પંચાસિયા ગામે અને આઠ વાગ્યે મહીકા ગામે સભાનું આયોજન કરેલ છે આ સભામાં ઇસુદાન ગઢવી સંબોધન કરશે. ઈશુદાન ગઢવી વાંકાનેરમાં આવતા હોવાથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.

આ સમાચારને શેર કરો