Placeholder canvas

વાંકાનેર:આજે ‘આપ’ની પરિવર્તન યાત્રા, ઇસુદાન ગઢવી આવશે

વાંકાનેર: આજે વાંકાનેરમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા નીકળશે આ પરિવર્તન યાત્રામાં આમ આદમી પાર્ટી ગુજરાતના નેતા ઇસુદાન ગઢવી વાંકાનેરમાં આવી રહ્યા છે.

આજે સવારે 10:00 કલાકે વાંકાનેરના સ્વામિનારાયણ મંદિર થી આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા શરૂ થશે, જે વાંકાનેરના મુખ્ય માર્ગો પર ફરીને નેશનલ હાઇવે, જકાતનાકાએ પૂર્ણ થશે. આ પરિવર્તન યાત્રામાં ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી આવી રહ્યા છે. ઈશુદાન ગઢવી વાંકાનેર આવતા હોવાથી આમ આદમી પાર્ટીના કાર્યકરો માં ભારે જુસ્સો જોવા મળી રહ્યો છે.

આ પરિવર્તન યાત્રા બાદ સાંજના સમયે તાલુકાના ત્રણ ગામમાં સભાનું પણ આયોજન કરેલ છે જેમાં સૌપ્રથમ સાંજના છ વાગ્યે તાલુકાના દલડી ગામેં અને ત્યારબાદ સાત વાગ્યે પંચાસિયા ગામે અને આઠ વાગ્યે મહીકા ગામે સભાનું આયોજન કરેલ છે આ સભામાં ઇસુદાન ગઢવી સંબોધન કરશે. ઈશુદાન ગઢવી વાંકાનેરમાં આવતા હોવાથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.

આ સમાચારને શેર કરો