Placeholder canvas

આમરણમાં હજરત દાવલશહ પીરનો ૫૩૦મો ઉર્ષ મુબારક ૧લી જૂનના રોજ ઉજવાશે.

આમરણ મુકામે હિન્દુ મુસ્લીમોની આસ્થાના પ્રતિક હજરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો ૫૩૦ મો ઉર્ષ મુબારક નો તા ૧/૬/૨૩ ગુરૂવારે અને ઇસ્લામી જીલ્કાદ તા ૧૧ ના રોજ ધામધુમથી ઉજવવામાં આવશે.

આ ઉર્ષ માં લાખો ની સંખ્યામાં હિન્દુ મુસ્લીમ મોટી સંખ્યામાં ઉમેટી પડશે તા ૧/૬/૨૩ ગુરૂવાર ના રોજ રાત્રે ૧૦ વાગ્યે દરગાહ શરીફના દ્વાર સંદલ ક્રિયા માટે બંધ કરવામાં આવશે અને ૧૨ વાગ્યે દરવાજા આમ જનતા માટે ખુલ્લા મુકવવામાં આવશે. ત્યાર બાદ પહેલી ચાદર સૈયદ જાકીર હુસેનના હાથે રાજકીય આગેવાનોની હાજરીમાં ચડાવામાં આવશે તેમજ રાત્રે ન્યાઝ (પ્રશાદી) જસદણવાળા અને જામનાગર વાળા એરન્ડીયા પરિવાર તફથી કરવામાં આવશે.

દાવલશાહ પીર દરગાહ નો ગામ કે બહારગામ ફંડફાળો કરવામાં આવતો નથી તેમજ આ સૂફીસંત ઓલીયા એ દાવલશાહપીરે પાંચા બાપા ભરવાડ ને આંખે દેખતા ન હતા તેમને આંખો આપીને દેખતા કરેલ તેવા અનેક પરચા છે. તેમ હજરત દાવલશાહપીર દરગાહ ટ્રસ્ટ તથા આમરણના પત્રકાર સબીરમીયા બાવામીયાબાપુંની યાદીમા જણાવાયું છે. આ ઉર્ષમાં હિન્દુ મુસ્લિમો આમ જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે.

આ સમાચારને શેર કરો