Placeholder canvas

વાંકાનેર: વાંકીયામાં વાડીએ એસીડ પી લેનાર યુવાનનું સારવાર દરમિયાન મોત

વાંકાનેરના વાંકીયા ગામની સીમમાં વાડીએ બાથરૂમ ધોવાનુ એસીડ પી લેનાર યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના વાંકીયા ગામે રહેતા કેતનભાઇ વનજીભાઇ એરણીયા (ઉ.વ.૩૫) નામના યુવાને ગત તા.૪ ના રોજ સવારના આશરે નવેક વાગ્યેના આસપાસ વાડીએ ગયેલા હતા ત્યારે કોઇપણ કારણોસર બાથરૂમ ધોવાનુ એસીડ પી લેતા તેની પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

રાજકોટ હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમ્યાન તા.૫ ના રોજ મોત નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો