Placeholder canvas

રાજકોટના કુવાડવા રોડ પર રીક્ષા પલ્ટી મારતા યુવાનનું મોત

પાંચ લોકોને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બેસતા વર્ષના દિવસે એટલે કે સોમવારે સાંજે કુવાડવા પાસે છકડો રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી, જેમાં મવડી ચોકડી પાસે ગુલાબનગરમાં રહેતા મૂળ યુપીના અન્નપૂર્ણ ધર્મેન્દ્રગીરી ગોસ્વામીનું ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું.

આ ઉપરાંત છકડો રિક્ષામાં સવાર અન્ય પાંચ જેટલા લોકોને ઈજા પહોંચતા તમામને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો