વાંકાનેર: ખાટલા પર ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ આવાસ યોજના કવાટર્સમા રહેતા પ્રવીણભાઈ રામજીભાઈ રાઠોડ નામના યુવાન પોતાના ઘેર ખાટલા ઉપર સુતા હતા ત્યારે ઝેરી જનાવર કરડી જતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.