વાંકાનેર: ઢુંવા પાસે માલગાડી હડફેટે આવી જતા યુવકનું મોત.
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા પાસે રેલ્વે ટ્રેક પર માલગાડીની હડફેટે આવી જતાં એક યુવકનું મોત થયું છે.
મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા પાસે રેલવે ટ્રેક પર હીરાલાલ ઉર્ફે કલુ નારાયણ યાદવ ઉ.25 તેઓ ત્યાંથી પસાર થઈ રહેલી એક ગુડઝ ટ્રેનના અડફેટે આવી જતા તેમને ઇજા થઇ હતી તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેઓ સરતાનપર રોડ એંજો સીરામીકમાં મજુર ક્વાર્ટરમાં રહેતા હતા તેઓને પ્રથમ વાંકાનેર અને બાદમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.