સુરેન્દ્રનગર: કાર અકસ્માતમાં એક મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત, બાળકીનો ચમત્કારિક બચાવ
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/01/20200121_193925.jpg)
સુરેન્દ્રનગર : રાજકોટ અમદાવાદ હાઇ વે પર ચોટીલા પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. જેમાં એક મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. આમાં એક બાળકીનો ચમત્કારી બચાવ થયો છે. જ્યારે અન્ય એક મહિલા ઇજાગ્રસ્ત છે. હાલ બંન્ને ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, આ કાર નાળા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/02/IMG-20200201-WA0002-1-971x1024.jpg)
આ કારમાં જામનગરનાં પાંચ લોકો જઇ રહ્યાં હતાં. આ પરિવાર જામનગરથી પાલનપુર જતો હતો. તે દરમિયાન ચોટીલા બળદેવ હોટલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને પગલે સ્થાનિકો એકઠા થયા હતાં. જે બાદ પોલીસ અને 108ની ટીમને પણ જાણ કરાતા તેઓ ઘટનાસ્થળે આવી ગયા હતાં. હાલ સ્થાનિક પોલીસ, આ લોકો કોણ છે તે અંગેની માહિતી એકઠી કરીને તેમના પરિવારને જાણ કરશે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/02/JIGAR-9X9-CM-1024x1024.jpg)
નોંધનીય છે કે, થોડા જ દિવસ પહેલા લીંબડી અમદાવાદ હાઇવે પર મૂળ વિજયવાડાનો અને હાલ અમદાવાદમાં નોકરી કરતા એક યુવકનાં પરિવારજનો વહેલી સવારે સોમનાથનાં દર્શન કરવા નીકળ્યા હતા. જેમાં પાંચ લોકોનાં મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક લિંબડીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ પોલીસ અને ટ્રાફિક વિભાગે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તનો લિંબડી રેફરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/02/PicsArt_01-22-11.14.18-1024x914.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)