Placeholder canvas

વાંકાનેર: કોટડાનાયાણી ગામે કૂવો ગાળતી વખતે ભેખડ પડતા ત્રણના મોત

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે કૂવો ગાળતી વખતે અચાનક ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકના મૃત્યુ નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ગત સાંજના સમયે બની હોય અને ત્રણેય મૃતકો કોટડા નાયાણી ગામના જ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. વધુમાં આ બનાવમાં મનસુખભાઇ પોપટભાઈ સોલંકી ઉ.44 અને નાગજીભાઈ સોમાભાઈ સીતાપરા ઉ.45ના મૃત્યુ નિપજ્યા હતા. અને ત્રીજા કામદારોને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

વધુમાં રાજકોટ રીફર કરાયેલા કામદાર વિનુભાઇ બચુભાઈ ગોરીયાનું પણ મૃત્યુ નીપજ્યું હોવાનું અને જે વાડીમાં કૂવો ગાળવામાં આવતો હતો તે વાડીના માલીક ફિરોઝભાઈ હુસેનભાઇ કાતીયરને પણ ઇજાઓ પહોંચી છે.

આ સમાચારને શેર કરો