Placeholder canvas

વાંકાનેર: રાતીદેવળી પાસે પીપળનું ઝાડ મહાસમેલનમાં આવેલા વૃધ્ધ પર પડતા મોત

વાંકાનેર: મધરાત્રે વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્ય જીતુભાઈ સોમાણી દ્વારા એક મહા સંમેલન બોલાવવામાં આવ્યું હતું. આ મહાસંમેલન વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ નજીક આવેલ કિરણ સીરામીકમાં રાખવામાં આવ્યું હતું.

આ મહાસંમેલન ગતરાત્રે શરૂ થયું થોડીવારમાં છાંટા ચાલુ થયા હતા પરંતુ થોડા થોડા છાંટા માં પણ સંમેલન ચાલુ રાખવામાં આવ્યું હતું, જ્યારે રાત્રે નવ વાગ્યાની આસપાસ જોરદાર પવન સાથે વરસાદ ખાબક્યો હતો અને મહાસંમેલનમાં વિઘ્ન આવ્યું હતું અને તાત્કાલિક સમેટવાની ફરજ પડી હતી. જેથી હાલમાં આવેલા લોકો પોત પોતાના ઘરે પરત ફરતા કર્યા હતા.

આ મહાસંમેલનમાં મોરબીથી હાજરી આપવા આવેલ જગદીશભાઈ ડાયાભાઇ કોટક (ઉ.વ.૬૫) રહે શનાળા રોડ મોરબી તેઓ કિરણો સીરામીકની બાજુમાં આવેલ મામાદેવ મંદિર પાસે પીપીળનું ઝાડ પવનની ગતિ સામે ટકી ન શકતા પીપળાનું ઝાડ ધરાશાયી થયું હતું બરાબર ત્યારે જ જગદીશભાઈ ત્યાંથી પસાર થતાં તેઓ આ ઝાડ પડતા તેઓ વૃક્ષ નીચે દબાઈ ગયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે વાંકાનેર હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું.વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો