Placeholder canvas

ટંકારા : સોમનાથ ચાલીને જતા આધેડને અજાણ્યા વાહને અડફેટે લેતા મોત 

ટંકારા: કચ્છ ભુજથી સોમનાથ ચાલીને જતા આધેડને  ટંકારા નજીક અજાણ્યા વાહને અડફેટે લેતા તેનું મોત થયાની ઘટના સામે આવી છે, સમગ્ર મામલે મૃતકના નાનાભાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

જેમાં કચ્છ ભુજના રહેવાસી રામાભાઇ પેથાભાઇ બઘાયાએ જણાવ્યું હતું કે, ગત તા- ૦૭/૧૦/૨૦૨૨ના રોજ વહેલી સવારે તેમના મોટોભાઇ વેલાભાઈ બઘાયા ‘હું સૌમનાથ ચાલીને જાવુ છુ. તેમ કહીને ઘરેથી નીકળેલ હતા, અને રામાભાઈને ગત તા- ૧૨/૧૦/૨૦૨૨ના રોજ જાણ થઈ હતી કે વેલાભાઈને ટંકારા મોરબી રોડ પર આવેલ સમય ઘડીયાળના કારખાના પાસે એક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેમને સારવારમાં રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેથી રામાભાઈ પરિજનો સાથે રાજકોટની સરકારી હોસ્પીટલમા પહોંચ્યા હતા.

વેલાભાઇને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા હતા અને ફરજ પરના તબીબે તેમને જણાવ્યું હતું કે, અકસ્માતમાં વેલાભાઈને ડાબા પગમાં ફેક્ચર તેમજ  માથામાં ઇજા થતા તે કોમામા જતા રહ્યા છે. અને વેલાભાઈને વેન્ટીલેટર પર સારવારમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.  જે મામલે ટંકારા પોલીસની ટીમે બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો