Placeholder canvas

વાંકાનેર: ભલગામ પાસે અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામ નજીક હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી નાસી ગયો હોય જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા આધેડનું મોત થયું હતું જેથી અકસ્માત મામલે વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના ભલગામના રહેવાસી નીકુલભાઈ ખરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા સાજણભાઈ માણસુરભાઈ ખરા રહે દરેડ તા. જામનગર વાળા પગપાળા ચાલીને જતા હોય ત્યારે ભલગામ રામાંપીર મંદિર પાસે અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો જેમાં ફરિયાદીના પિતા સાજણભાઈને અડફેટે લેતા શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સાજણભાઈનું મોત થયું હતું.

અકસ્માત બાદ પોતાનું વાહન લઈને અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો