Placeholder canvas

વટામણ ચોકડી પાસે ચાલુ ખાનગી બસમાં લાગી આગ.

સુરત થી ભાવનગર, તલાજા મહુવા રાજુલા જાફરાબાદ ઉના વાળી ગોપીનાથ ટ્રાવેલ્સની ખાનગી બસમાં આગ લાગતા અફળાતફળી મચી ગઈ હતી.

મળેલી માહિતી મુજબ સુરત થી ભાવનગર જતી ગોપીનાથ ટ્રાવેલ્સ ની ચાલુ બસમાં વટામણા ચોકડી પાસે અચાનક આગ લાગી જતા બસમાં સવાર મુસાફરોમાં અફલાતફળી મચી ગઈ હતી. આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી, સબનસીબે બસમાં સવાર તમામ મુસાફરોને બચાવી લેવાયા હતા, પરંતુ મુસાફરનો સામાન મોબાઇલ અને પૈસા કીમતી ચીજ વસ્તુઓ તમામ બળીને ખાસ થઈ ગઈ હતી.

આ ખાનગી બસમાં અચાનક આગ લાગતા મુસાફરોમાં પોતાની જાન બચાવવા માટે અફળાતફળી થઈ ગઈ હતી, તેમાં અમુક મુસાફરોને સામાન્ય ઇજા થઈ હતી. જ્યારે ખૂબ કીમતી સામાન બળીને ખાત થઈ ગયો હતો.

આ સમાચારને શેર કરો