Placeholder canvas

આમરણ ઉર્ષમાંથી આવતા રાજકોટના પરિવારને રતનપર પાસે અકસ્માત નડ્યો: ૬ને ઇજા

નવા મોરબી રોડ રતનપર નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો એ અકસ્માતમાં બે રીક્ષા અને કારને નુકશાન થયું હતું તેમજ રાજકોટના મુસ્લિમ પરિવારના છ લોકો ઘવાયા હતા.તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

મળેલ માહિતી મુજબ,મોરબી રોડ પર આવેલા રતનપર પાસે બે રીક્ષા અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં રાજકોટના બેડીપરા ફાયર બ્રિગેડ પાસે રહેતા અને મજૂરી કામ કરતા મુસ્લિમ પરિવારના રફીકશા રઝાકશા સાહમદાર (ઉ.વ.55), રીઝવાના સિકંદરશા (ઉ.વ.20), સિકંદરશા રફીકશા (ઉ.વ.22), હલીમા રફીકશા(ઉ.વ.40),સબીરશા રફીકશા(ઉ.વ.15) અને એઝીમશા રફીકશા(ઉ.વ.15)ને શરીરે ઇજા થતાં તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાસ્થળે અકસ્માત સર્જતા ટ્રાફિકજામ થયો હતો.જે બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી તેમજ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસે તપાસ કરતા મુસ્લિમ પરિવાર રાજકોટનું હતું અને આમરણ ઉર્ષમાં ગયા હતા.ત્યાંથી તમામ પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.આ અંગે કુવાડવા પોલીસે કાર્યવાહી કરી છે.

આ સમાચારને શેર કરો