Placeholder canvas

ટંકારાના વાધગઢ ગામે જમીનમા દાટેલી બોડી મળતા ખળભળાટ…

ટંકારા: આજે ટંકારા તાલુકાના વાઘગઢ ગામે જમીનમાં દાટેલી એક પુરુષની ડેડબોડી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મરણ જનાર પુરૂષ પરપ્રાંતીય મજુર હોવાનું જાણવા મળ્યું છે. આ ડેડ બોડીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી પરીક્ષણ માટે રાજકોટ મોકલવામાં આવી છે. ત્યાં મૃતકની આ ડેડબોડીને કોને દાંટી? શું તેમની હત્યા કરવામાં આવી હતી? વગેરે મુદ્દે ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ મરણ જનાર વ્યક્તિની ડેડ બોડીને જમીનમાંથી જનાવર દ્વારા કાઢીને ચુથવામા આવી હોવાનું જાણવા મળ્યું છે અને દુર્ગંધ આવતા સ્થાનિક લોકો એ આજે ટંકારા પોલીસને જાણ કરી હતી. પોલીસએ ટંકારા મામલતદાર કેતન સખિયાની હાજરીમાં મરણ જનારને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમારા અંગત સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આ મરણ જનારની હત્યા કરી એના જાણીતા સગાએ જ લાશ દફનાવી દીધી હોય શકે છે અને કુતરા કે અન્ય જનાવરે ફાડી ખાધી છે,જેથી અમુક અંગ પણ બહાર આવી ગયા હતા. ત્યારે સવાલ એ છે કે આ પુરૂષની હત્યા કરી છે કે શું? જો હત્યા કરી દાટી દીધો છે તો ક્યા કારણે હત્યા કરી અને કોણે કરી ? એ સવાલો ઉભા થયા છે. એ મુદ્દે પોલીસ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો